નવી દિલ્હી: આજે સેના (Army Day) દિવસ છે. આર્મી ડે પર આજે પહેલીવાર ભારતીય સેનાએ ડ્રોન એટેકનો નજારો રજુ કર્યો. આર્મી ડે પરેડ દરમિયાન સેનાએ દેખાડી દીધુ કે કઈ રીતે ડ્રોન કઈ પણ માનવીય હસ્તક્ષેપ વગર દુશ્મનોના ઠેકાણાને સટીક રીતે નિશાન બનાવી શકે છે. અનેક ડ્રોન મળીને એક મિશનને અંજામ આપે તે સિસ્ટમને ડોરન સ્વોર્મિંગ કહે છે. આ નવી ટેક્નોલોજી ભવિષ્યમાં યુદ્ધના સમગ્ર સીનને બદલવાની ક્ષમતા ધરાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શું થઈ રહ્યું છે? ખૂંખાર Leopard ના વર્તનમાં 'ધરમૂળ ફેરફાર' બન્યો ચર્ચાનું કારણ, જુઓ Viral Video


50 કિમી અંદર જઈને નષ્ટ કર્યો ટાર્ગેટ
આર્મી ડે પરેડ દરમિયાન અનેક ડ્રોને મળીને દુશ્મનોની ટેન્ક, આતંકી કેમ્પ, હેલીપેડ, ફ્યૂલ સ્ટેશન સહિત અનેક જગ્યાઓને નિશાન બનાવીને પ્રદર્શન કર્યું. જેમાં 75 ડ્રોન સામેલ હતા. તેમાં દેખાડવામાં આવ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા આ ડ્રોને કોઈ પણ માનવ હસ્તક્ષેપ વગર દુશ્મનના વિસ્તારમાં 50 કિલોમીટર અંદર ઘૂસીને ટાર્ગેટની ઓળખ કરી નષ્ટ કર્યા. આ સિસ્ટમમાં તમામ ડ્રોન એક બીજા સાથે કોમ્યુનિકેટ કરે છે અને મળીને મિશનને અંજામ આપે છે. 


Corona Vaccine Myths: કોરોના રસી અંગે ફેલાવવામાં આવી રહ્યા છે જાત જાતના જુઠ્ઠાણા, જાણો શું છે સત્ય


International Monetary Fund એ કૃષિ કાયદા પર આપ્યું અત્યંત મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?


સેના પ્રમુખે ચીનને આપી ચેતવણી
સેના દિવસ પર સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણેએ લદાખ હિંસામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે તેમનું બલિદાન વ્યર્થ જશે નહીં. તેમણે કહ્યું કે હું ભારતના લોકોને એ આશ્વાસન આપવા માંગુ છું કે ગલવાન ઘાટીમાં અમારા સૈનિકોનું બલિદાન વ્યર્થ જશે નહીં. જનરલ નરવણેએ પોતાના આ નિવેદનથી ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો કે તેણે પોતાની હરકતોથી બહાર આવવું જોઈએ. નહીં તો ભારતીય સેના જડબાતોડ જવાબ આપવાનું જાણે છે. અત્રે જણાવવાનું કે ગત વર્ષે લદાખમાં થયેલી હિંસામાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા.


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube